શું રે થયું છે વ્રજનારને

Shu re thayu che vrjnarne

નરભેરામ નરભેરામ
શું રે થયું છે વ્રજનારને
નરભેરામ

ઓધા, શું રે થયું છે વ્રજનારને રે?

મહી સાટે વેચે છે મેરારને રે ! ઓધા૦

ગોપી પ્રેમે મંદિરમાંથી નીસર્યા રે;

એના શરીરની શુદ્ધ-બુદ્ધ વીસર્યા રે. ઓધા૦

એવી આતુરતા લાગી એને અંગમાં રે;

મારો વાં'લો બિરાજે એના સંગમાં રે. ઓધા૦

કંઈક કામણ થયું છે એને વાટમાં રે;

બહુનામી બિરાજે એના માટમાં રે. ઓધા૦

‘નરભેરામ’ના સ્વામીની રીત છે રે;

મારે પૂર્વ જન્મની પ્રીત છે રે. ઓધા૦

સ્રોત

  • પુસ્તક : પરિચિત પદસંગ્રહ (પૃષ્ઠ ક્રમાંક 176)
  • પ્રકાશક : સસ્તુ સાહિત્યવર્ધક કાર્યાલય
  • વર્ષ : 1946