તારા મનમાં જાણે છે મરવું નથી રે

Tara manma jane che marvu nthi re

દેવાનંદ દેવાનંદ
તારા મનમાં જાણે છે મરવું નથી રે
દેવાનંદ

તારા મનમાં જાણે છે મરવું નથી રે,

એે નિશ્ચય કર્યો નિરધાર; તેમાં ભૂલી ગયો ભગવાનને રે.

ધન, દોલત, નારી ને ઘણા દીકરા રે, ખેતીવાડી, ઘોડી ને ઘરબાર ! તેમાં

મેડી-મંદિર, ઝરૂખા ને માળિયાં રે, સુખદાયક સોનેરી સેજ ! તેમાં૦

ગાદી, તકિયા, ને ગાલમસૂરિયાં રે, અતિ આડ કરે છે ! તેમાં૦

નીચી ખાંધ કરીને નમતો નથી રે, એવું સાધુ સંગાથે અભિમાન ! તેમાં૦

મરમાળી મેહનજીની મૂરતિ રે, તેની સાથે લાગેલ તાન ! તેમાં૦

પા૫ અનેક જન્મનાં આવી મળ્યાં રે, તારી મતિ મલિન થઈ મંદ ! તેમાં૦

‘દેવાનંદ’ના વા'લાને વીસરી ગયો રે, ત્યારે ગળે પડ્યો જમફંદ ! તેમાં૦

સ્રોત

  • પુસ્તક : પરિચિત પદસંગ્રહ (પૃષ્ઠ ક્રમાંક 157)
  • પ્રકાશક : સસ્તુ સાહિત્યવર્ધક કાર્યાલય
  • વર્ષ : 1946