રામરાજ્યાભિષેકનાં ધોળ ૧૭મું
Ramrajyabhisehkna dhol 17 mu
દિવાળીબાઈ
Divalibai
દિવાળીબાઈ
Divalibai
હું તો સૂરજને કહું આજે,
મારા રામજીને નવ જગાડે રે; બાઈ દિન ન ઊગે.
મુઓ એ દેવતા મોટો દુઃખી,
અમને થાવા દેશે નહિ સુખી રે, બાઈ દિન ન ઊગે.
એમને રાવણનાં છે દુઃખો,
મારું પીટ્યાને જઈ મૂકો રે; બાઈ દિન ન ઊગે.
જોને ભોર કરે છે ભાનુ,
દીવાળી એને સુખડું લાગ્યું શાનું રે? બાઈ દિન ન ઊગે.
સ્રોત
- પુસ્તક : પ્રાચીન કાવ્યમાળા ગ્રંથ ૬
- સંપાદક : હરગોવિંદ દ્વારકાદાસ કાંટાવાળા અને નાથાશંકર પૂજાશંકર શાસ્ત્રી
- પ્રકાશક : હરગોવિંદ દ્વારકાદાસ કાંટાવાળા
- વર્ષ : 1890
