રામરાજ્યાભિષેકનાં ધોળ૧૬મું
Ramrajyabhishekna dhol 16 mu
દિવાળીબાઈ
Divalibai
દિવાળીબાઈ
Divalibai
હું તો ચાંદાને કહું ધીમો ચાલે,
એ છે દેવ ક્યમ સામું ભાળે રે; બાઈ દિન ન ઊગે.
તોય ચાંદાને દેઉં દવાઈ,
તારા ગુણલા નહિ ગાઉં ભાઈ રે; બાઈ દિન ન ઊગે.
ચાંદા દેવ તારા સુખ માટે,
અમને દુ:ખી કરે શે સાટે રે; બાઈ દિન ન ઊગે.
મુઓ ચાંદો મારું ના માને,
દીવાળી દુઃખી કર્યો ભગવાને રે; બાઈ દિન ન ઊગે.
સ્રોત
- પુસ્તક : પ્રાચીન કાવ્યમાળા ગ્રંથ ૬
- સંપાદક : હરગોવિંદ દ્વારકાદાસ કાંટાવાળા અને નાથાશંકર પૂજાશંકર શાસ્ત્રી
- પ્રકાશક : હરગોવિંદ દ્વારકાદાસ કાંટાવાળા
- વર્ષ : 1890
