અર્વાચીન મીરાંનુ પદ

arwachin mirannu pad

રમેશ પારેખ રમેશ પારેખ
અર્વાચીન મીરાંનુ પદ
રમેશ પારેખ

કે કાગળ હરિ લખે તો બને

અવર લખે તે એકે અક્ષર નથી ઉકલતો મને....

મોરપીંછનો જેના ઉપર પડછાયો ના પડિયો

શું વાંચું કાગળમાં જે હોય શાહીનો ખડિયો?

પરબીડિયું શું ખોલું જેની વાટ હો આંખને....

મીરાં કે’ પ્રભુ શ્વાસ અમારો કેવળ એક ટપાલી

નિસદિન આવે જાય લઈ ને થેલો ખાલીખાલી

ચિઠ્ઠી લખતાંવેત પહોંચશે સીધી મીરાં કને....

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી ઊર્મિકાવ્યો (પૃષ્ઠ ક્રમાંક 98)
  • સંપાદક : જયન્ત પાઠક, રમણલાલ પાઠક
  • પ્રકાશક : આદર્શ પ્રકાશન
  • વર્ષ : 1983