અનંત નામનું ઓસડ મારે

anant naamnun osaad maare

નરસિંહ મહેતા નરસિંહ મહેતા
અનંત નામનું ઓસડ મારે
નરસિંહ મહેતા

(રાગ આશાવરી)

અનંત નામનું ઓસડ મારે, જેનાં ભાગ્ય હોય તેને ભાવે રે;

વૈષ્ણવ વૈદની પાસે વસીએ તો રવિસુત તેને ઘે૨ ના'વે રે.

હરિ હરડે ને સૂંઠ સારંગધર, અવિનાશી અજમાણ રે;

કહું કૃષ્ણ ને સાકર શામળિયો, સંચળ રામ રસાયણ રે.

ચોખ્ખું ચૂરણ ચત્રભુજ કેરું, અને બહુનામીની બૂકી રે;

ગોવિંદ નામની ગોળી રે વાળી, માંહે હરિચરણોદક ભૂકી રે.

એવાં એવાં ઔષધ તો અંગ લાગે, જો કરીએ રહેવાયે રે;

મોહમાયાનો મચ્છર ઘણેરો, પાછો ખેલો થાય રે.

કૃપા કરીને ઔષધ દીજે, યજ્ઞપુરુષ જદુરાય રે!

નરસૈંયાના સ્વામીને સંગે રમતાં જમ શિર જાંગી ના વાય રે.

સ્રોત

  • પુસ્તક : નરસિંહ મહેતાનાં શ્રેષ્ઠ પદ (પૃષ્ઠ ક્રમાંક 96)
  • સંપાદક : ડૉ. શિવલાલ જેસલપૂરા
  • પ્રકાશક : નવભારત સાહિત્ય મંદિર
  • વર્ષ : 1994