ઉચ્ચતમ અવાજો,
જે મરણ પામ્યાં છે તેમના પ્રેમાળ અવાજો
અથવા તો મરી ગયા હોય એમ
આપણે જેમને ગુમાવી બેઠા છીએ એમના.
ક્યારેક સપનાંમાં એ આપણી સાથે વાતો કરે છે
ક્યારેક વિચારોમાં, મન એને સાંભળતું હોય છે.
અને એ અવાજો ક્યારેક
એકાદ ઘડી માટે પણ પડઘાવે છે
આપણી જિંદગીની પહેલી કવિતાના ધ્વનિ
આઘે-આઘે ઓસરી જતા કોઈ રાત્રિના સંગીતની જેમ.
સ્રોત
- પુસ્તક : અનુજા (પૃષ્ઠ ક્રમાંક 55)
- સંપાદક : કમલ વોરા
- પ્રકાશક : ક્ષિતિજ સંશોધન પ્રકાશન કેન્દ્ર
- વર્ષ : 2023
